Details
Details
અમર સાગરકથાઓના સર્જક ને પ્રખર પત્રકાર સ્વ. ગુણવંતરાય આચાર્યનાં પુત્રી વર્ષા અડાલજાનેબચપણથી જ ઘરમાં નાટક અને સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. કૉલેજકાળ સુધી પહોંચતા સુધીમાં તો ક્લાસિકનાટકોમાં મુખ્ય ભૂમિકા કરી અનેક માન સમ્માન મેળવ્યા હતા.
પિતાનું મૃત્યુ, લગ્ન, `રંગભૂમિ' સંસ્થાનું બંધ થવું વગેરે જીવનમાં અણધાર્યાવળાંકોનીક્રિયેટીવ પ્રેરણાથી એમણે લખવાનું શરૂ કર્યું. માત્ર મનની મોકળાશ માટે પકડેલી કલમ અવિરત ચાલતી રહી, `લખવું જીવાદોરી' બની ગઈ.
નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, અનુવાદ બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં એમણે ઊજળો હિસાબ આપ્યો છે. તેમનાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ પ્રગટ થતી રહે છે.
તેમની નવલકથાઓસંવેદનીલ હોવાથી તે પરથી ગુજરાતી ફિલ્મ્સ બની. તેમની નવલકથા `મારે પણ એક ઘર હોય'ને ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક ઉપરાંત તેની પરથી ત્રણ વખત ટી.વી. શ્રેણી બની અને તેની પરથી બનેલી ફિલ્મને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કથાનું પારિતોષિક મળ્યું ને બીજી ભાષામાં અનુવાદ પણ થયા. `ગાંઠ છૂટ્યાની વેળા' નવલકથા `ગુજરાતી સાહિત્યમાં નવી દિશાના દ્વાર ખોલતી' ગણાઈ હતી. રક્તપિત્તગ્રસ્તોની વેદનાના આલેખ જેવી `અણસાર'ને દિલ્હી સાહિત્ય અકાદમી, કલકત્તાના ભારતીય ભાષા પરિષદ અને ગુજરાત વિદ્યાસભાનુંસનતકુમારી પારિતોષિક મળ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં તેમનાં પ્રદાન માટે તેમને પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે.
Additional Info
Additional Info
Authors | Varsha Adalja |
---|---|
isbn | 9789389858068 |
pages | 104 |
language | Gujarati |
specialnote | No |
Return Policy
Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.
It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More