Details
Details
Aene Mrutyu N Kaho by Dr. Nimitt Oza Gujarati Book Buy Online
આ પુસ્તક એ તમામ લોકોને સમર્પિત છે, જેમણે સ્વજનો ગુમાવ્યા છે. પોતાની નજર સામે હાથમાંથી સરકી જતા પ્રિયજનો, મિત્રો, મમ્મી-પપ્પા, સંતાનો કે લાઈફ પાર્ટનરની ખોટ હજી પણ જેમના હૈયાને દઝાડે છે, એ તમામને આ પુસ્તક થોડી રાહત અને નિરાંત આપશે.
આ પુસ્તકનો મર્મ, હેતુ અને ઈરાદો મૃત્યુને નોંતરવાનો કે તેનો મહિમા કરવાનો નથી. તેનો સ્વીકાર અને સત્કાર કરવાનો છે. આ પુસ્તકમાં મૃત્યુને ખાસ નિમંત્રણ પાઠવીને અકાળે બોલાવી લેવાની વાત નથી, પણ જ્યારે એના નિયત સમયે મૃત્યુ આપણું દ્વાર ખખડાવે ત્યારે ડર કે અફસોસ વગર તેને આવકારવાની સમજણ છે.
આ પુસ્તક આપણા દરેકમાં રહેલી એક ગર્ભિત અને સહિયારી અસલામતીને ઉઘાડી પાડે છે. આ સુંદર પૃથ્વી પરથી એક દિવસ કાયમને માટે લુપ્ત થઈ જવાની અસલામતી, ચિંતા અને ડર આપણા દરેકમાં રહેલો છે અને એનુ મુખ્ય કારણ આપણી ‘આઇડેન્ટિટી’ છે. આપણી ઓળખ જેટલી વધારે મજબુત, લુપ્ત થઈ જવાનો ડર એટલો જ વધારે. મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવાનો એક માત્ર ઉપાય આપણી ઓળખ ખંખેરી નાખવાનો છે. આધ્યાત્મિક આરોહણનું પહેલું પગથિયું જ આપણી ઓળખને ભૂંસવાનું છે. ‘ડ્રોપ યોર આઇડેન્ટિટી’ એ દરેક આધ્યાત્મિક વિચારધારાનો મૂળભૂત અને મુખ્ય મંત્ર છે.
આધ્યાત્મિક મથામણ વિના મૃત્યુનો સ્વીકાર અશક્ય છે. એવી જ કંઈક આધ્યાત્મિક કસરતનો એક નાનકડો એવો અંશ એટલે આ પુસ્તક ‘એને મૃત્યુ ન કહો’.
Additional Info
Additional Info
Authors | Dr Nimit Oza |
---|---|
isbn | 9789390572502 |
pages | 164 |
language | Gujarati |
specialnote | No |
Return Policy
Shades shown in photos across the range of fabric and accessories may slightly vary from the actual color. This may happen due to multiple settings in your monitor or viewing device (Laptop/Mobile/Tab), even impact of our digital photo shoots. We request you to consider these minor color variations. This note is to avoid any return request due to mentioned circumstances.
It's always our highest priority to offer you great shopping experience. In some unpredicted situation if you are not happy with our products then there are some returns possible in few of the items under various conditions. Read More